શા માટે વિઠ્ઠલભાઈ પટેલે રેલપીડીતોના રાહત ફંડમાં નાભાના રાજાની રૂ ૫૦૦૦૦ની દરખાસ્ત ફગાવી?
૧૮ ઓગસ્ટ ૧૯૨૭ ના દિવસે વાડી ધારાસભાની બેઠક માં વિઠ્ઠલભાઈને સિમલા જવાનું થયું. પરંતુ ગુજરાતમાં આવેલ રેલ સંકટ ના કારણે તેઓનું હ્રદય અને મન તો ગુજરાતમાં જ રહ્યું, તેમ છતાં તેઓ ગાંધીજી અને વલ્લભભાઈની પરવાનગી લઈ તેઓએ રેલપીડિતોના લાભાર્થે ફંડ શરૂ કર્યું અને તે ફંડમાં પોતે રૂ ૧૦૦૦૦ આપ્યા અને વાઈસરોયે પણ રૂ ૫૦૦ નો ફાળો નોંધાવ્યો. આ ફંડને રકમ જોત જોતામાં એક લાખ વટાવી ગઈ, નાભાના રાજા એ પણ આ ફંડમાં રૂ ૫૦૦૦૦ આપવાની શરતી તૈયારી બતાવી અને શરત રાખી કે તેમના કેટલાક પ્રશ્નો ધારાસભામાં પૂછવાની તેમણે છૂટ મળે. ધારાસભાના સ્પીકર તરીકે તેઓ આ શરતનો સ્વીકાર કરી ન શકે, આ સિધ્ધાંતને વળગી વિઠ્ઠલભાઈ પટેલે સ્પીકર તરીકે તેનો સ્વીકાર ન કર્યો અને રૂ ૫૦૦૦૦ને પ્રાધાન્ય ન આપતા, બેધડક દરખાસ્ત ફગાવી.
Visit us : Sardar Patel Subscribe us : Youtube Channel
0 Comments